"Shree Matiya Dev - Temple"
village - gudthar taluka- abdasa Kutch Dist. INDIA.
ચમત્કારીક શ્રી મામૈપૂત્ર મતીયાપીર.
મામૈદેવ ના મોટા પુત્ર મંડચદ ને રૂમ સુમ વાળા તેડી ગયા ત્યાર પછી મામૈદેવ ને પાંચ પુત્રો તથા બે પુત્રી થયા. તેમા સૌથી મોટા પુત્ર નુ નામ મતિયો. મામૈદેવ ના ચમત્કારિક મનાતા પુત્ર શ્રી મતીયાદેવ વિશે જાણીએ.
એક દિવસ મામૈદેવ બપોર ના ભોજન બાદ વ્રુક્ષ ના છાયડે ખાટલો ઢળી સૂતા હતા. પાંચ ભાઈઓ રમત કરતા હતા ત્યારે વૃક્ષ પર બેઠાલા કાગડાઓ કા….. કા….. કા… કરો…. કરા… જોરજોર થી શોરબકોર કરી રહ્યા હતા. બાળક મતીયા નું તે તરફ ધ્યાન ખેચાયુ. બાળક મતીયાને વિચાર આવ્યો મન માં થયું કે પિતાજી પોઢયા છે અને કાગડાઓ……. કરા…. કરા…… થી પિતાજી ની ઉંઘ બગડશે વળી કોઇ કાગડો ચરકશે તો પિતાજી ના કપડા ગંદા થશે. તેથી બાળક મતીયા કાગડા ની ઉડાડી મુકે છે. પરંતુ થોડા સમય બાદ કાગડાઓ પાછા આવી ને ફરી થી કા….. કા….. કા… કરે છે. બાળક મતીયા ની ધિરજ ખુટે છે અને મુખ માંથી શબ્દો નીક્ળી પડે છે. માથે કા….. કા….. કા… કરો છો તો નીચે મરો ને..... મતીયા ના મુખ માંથી “નીચે મરો” શબ્દ નીક્ળતા ની સાથે જ બધા કાગડા ઓ વૃક્ષ પર થી ટપોટપ નીચે પડયા અને તત્કાલ મરણ પામ્યા જમીન ઉપર મરેલા કાગડાઓનો પથારો પથરાઈ ગયો.
મામૈદેવ ભર નીંદ્રા માંથી ઝબકી ને જાગી ગયા. મરેલા કાગડાઓનો ઢગલો જોઈ પુત્રો ને પુછ્યુ આટલા બધા મરેલા કાગડા અહી કયાથી આવ્યા ? ત્યારે નાના પુત્ર લાલણે કહ્યુ ઔવા કાગડા ને મતિયા એ માર્યા છે. મામૈદેવે મતિયા ને પૂછયું મતિયા કાગડા ને તે માર્યા છે. ઔવા હુ તમારા સોંગધ ખાઈ ને કહુ છું, કોઈ કાગડા ને મેં આંગળી પણ અડાળી નથી તમે સુતા હતા ત્યારે કાગડા વૃક્ષ પર કરા…. કરા…… કરી રહ્યા હતા મને થયું કાગડાના કરા…. કરા…… શોર બકોર અવાજ થી પિતાજી ની ઉંઘ બગડશે. તેથી કાગડાઓને કહ્યુ કે માથે કા….કા….. કરો છો. નીચે મરો ને એટલુ કહેતા ની સાથે બધા કાગડાઓ ટપોટપ નીચે પડ્યા અને મુત્યુ પામ્યા. મતીયા તે ભારે ખોટુ કર્મ કરી નાખ્યુ. શ્રી મામૈદેવ બાળક મતીયા ને કિધુ કે કાગડાઓ ને સજીવન કર… મતીયા એ વળતો જવાબ આપ્યો મને ન આવડે. શ્રી મામૈદેવ હુકમ કર્યો. તારા મુખ મા કલામ (સિધ્ધિ-શકિત) છે. જન્મ થી તારી પાસે કલામ છે. એટલે તું જે બોલે તેમ થાય છે…. ભલે ઔવા.. બાળક મતીયા બોલ્યા “કાગડાઓ સજીવન થઈ ને ઉડી જાઓ”
મતીયા ના મુખ માંથી ઉડી જાઓ શબ્દો સર્યા ત્યા તો બધા કાગડા કા… કા… કરતા પાંખો ફફડાવી સજીવન થઈ આકાશ માં ઉડી ગયા... રમત કરતા બાકી ના ચાર પુત્રો પણ સત્ય ઘટના ને નીહાળી એટલા માં મામૈદેવ પુત્ર મતીયા ને પાસે બોલાવી ને કહ્યુ બેટા મતીયા તારી જીભ મને બતાડતો જોવ … કાળી તો નથી ને! પુત્ર મતીયા એ પીતાજી ને જીભ બતાડી પુજ્ય મામૈદેવે મતિયા ના જીભ માંથી કલામ ખેચી લીધી.
“ઉભી મતીયો મામૈવટે અરજ કરે , સચી કાની મતીયે પીર જે હથ, ઉગે આથમદે મતીયેજી કાની જા પરવાના ફરે, પીર મતીયો તો ફ્ળે, સચી કાનીને ધોળી ધજા ગુર મતીયે કે ચડે, દુ:ખ દાળધર પીર મતીયો તો પલે મામૈદેવ જે પ્રતાપે પીર મતીયો તો ફ્ળે“
આમ શ્રી મામૈદેવ ને બાળક મતીયા અરજ કરે છે કે ઔવા મારી ભુલ થઈ ગઈ. મારી ભુલ થઈ ગઈ. મારી શકિત મને પાછી આપો. શ્રી મામૈદેવ બોલ્યા કે દિકરા સમુંદ્ર કદી છલકાતો નથી. છલકે એ તો ખાબોચીયા કહેવાય. તું ચીંતા ના કર, તારી કરણી નો બદલો ચુક્વી આપુ છુ. તું જીવતા નહી પણ મરતા પુજાશે. મતીયા ને બદલે મતીયાપીર કહેવાઈશ. તારી હયાતી માં તારી કલામ કામ નહી કરે. પરતું તારા મુત્યુબાદ પીર તરીકે પુજાઈશ અને આ અમોધ વિધા તારા મુત શરીર માં પ્રવેશ કરશે તેના થકી તારા પર શ્રધા રાખનાર દરેક નૂ ભલુ થશે. કલયુગ ના માનવી ને આધી, વ્યાધી, ઉપાધી.. અવશ્ય દુર થશે. તારુ જગમાં નામ અને કિર્તી વંચાશે. આમ તારા મુત્યુ બાદ તને આ અમોધ વિધા હાંસલ થઈ જશે અને તને પીરાતન મળશે. તારી સ્મશાન યાત્રા ઢોલ શરણાઈઓ વગાડતા નીકળશે. અનેક પરચા પુરીશ. ગુડથર ગામ માં તારો મેળો ભરાશે.
આમ મતીયાદેવ ને હવે પીતાજી ની ભલામણ તથા પોતાની ભુલ સમજાઈ. મતીયાપીર પીતાશ્રી ને પગે પડવા મંડયા. બાળક મતીયો પાપ કરી પસ્તાયો પણ થાય શું? થનાર થઈ ચુક્યુ હતું થોડીક ભુલ નો ભંયકર બદલો મળી ગયો હતો.....
મામૈદેવ ના મોટા પુત્ર મંડચદ ને રૂમ સુમ વાળા તેડી ગયા ત્યાર પછી મામૈદેવ ને પાંચ પુત્રો તથા બે પુત્રી થયા. તેમા સૌથી મોટા પુત્ર નુ નામ મતિયો. મામૈદેવ ના ચમત્કારિક મનાતા પુત્ર શ્રી મતીયાદેવ વિશે જાણીએ.
એક દિવસ મામૈદેવ બપોર ના ભોજન બાદ વ્રુક્ષ ના છાયડે ખાટલો ઢળી સૂતા હતા. પાંચ ભાઈઓ રમત કરતા હતા ત્યારે વૃક્ષ પર બેઠાલા કાગડાઓ કા….. કા….. કા… કરો…. કરા… જોરજોર થી શોરબકોર કરી રહ્યા હતા. બાળક મતીયા નું તે તરફ ધ્યાન ખેચાયુ. બાળક મતીયાને વિચાર આવ્યો મન માં થયું કે પિતાજી પોઢયા છે અને કાગડાઓ……. કરા…. કરા…… થી પિતાજી ની ઉંઘ બગડશે વળી કોઇ કાગડો ચરકશે તો પિતાજી ના કપડા ગંદા થશે. તેથી બાળક મતીયા કાગડા ની ઉડાડી મુકે છે. પરંતુ થોડા સમય બાદ કાગડાઓ પાછા આવી ને ફરી થી કા….. કા….. કા… કરે છે. બાળક મતીયા ની ધિરજ ખુટે છે અને મુખ માંથી શબ્દો નીક્ળી પડે છે. માથે કા….. કા….. કા… કરો છો તો નીચે મરો ને..... મતીયા ના મુખ માંથી “નીચે મરો” શબ્દ નીક્ળતા ની સાથે જ બધા કાગડા ઓ વૃક્ષ પર થી ટપોટપ નીચે પડયા અને તત્કાલ મરણ પામ્યા જમીન ઉપર મરેલા કાગડાઓનો પથારો પથરાઈ ગયો.
મામૈદેવ ભર નીંદ્રા માંથી ઝબકી ને જાગી ગયા. મરેલા કાગડાઓનો ઢગલો જોઈ પુત્રો ને પુછ્યુ આટલા બધા મરેલા કાગડા અહી કયાથી આવ્યા ? ત્યારે નાના પુત્ર લાલણે કહ્યુ ઔવા કાગડા ને મતિયા એ માર્યા છે. મામૈદેવે મતિયા ને પૂછયું મતિયા કાગડા ને તે માર્યા છે. ઔવા હુ તમારા સોંગધ ખાઈ ને કહુ છું, કોઈ કાગડા ને મેં આંગળી પણ અડાળી નથી તમે સુતા હતા ત્યારે કાગડા વૃક્ષ પર કરા…. કરા…… કરી રહ્યા હતા મને થયું કાગડાના કરા…. કરા…… શોર બકોર અવાજ થી પિતાજી ની ઉંઘ બગડશે. તેથી કાગડાઓને કહ્યુ કે માથે કા….કા….. કરો છો. નીચે મરો ને એટલુ કહેતા ની સાથે બધા કાગડાઓ ટપોટપ નીચે પડ્યા અને મુત્યુ પામ્યા. મતીયા તે ભારે ખોટુ કર્મ કરી નાખ્યુ. શ્રી મામૈદેવ બાળક મતીયા ને કિધુ કે કાગડાઓ ને સજીવન કર… મતીયા એ વળતો જવાબ આપ્યો મને ન આવડે. શ્રી મામૈદેવ હુકમ કર્યો. તારા મુખ મા કલામ (સિધ્ધિ-શકિત) છે. જન્મ થી તારી પાસે કલામ છે. એટલે તું જે બોલે તેમ થાય છે…. ભલે ઔવા.. બાળક મતીયા બોલ્યા “કાગડાઓ સજીવન થઈ ને ઉડી જાઓ”
મતીયા ના મુખ માંથી ઉડી જાઓ શબ્દો સર્યા ત્યા તો બધા કાગડા કા… કા… કરતા પાંખો ફફડાવી સજીવન થઈ આકાશ માં ઉડી ગયા... રમત કરતા બાકી ના ચાર પુત્રો પણ સત્ય ઘટના ને નીહાળી એટલા માં મામૈદેવ પુત્ર મતીયા ને પાસે બોલાવી ને કહ્યુ બેટા મતીયા તારી જીભ મને બતાડતો જોવ … કાળી તો નથી ને! પુત્ર મતીયા એ પીતાજી ને જીભ બતાડી પુજ્ય મામૈદેવે મતિયા ના જીભ માંથી કલામ ખેચી લીધી.
“ઉભી મતીયો મામૈવટે અરજ કરે , સચી કાની મતીયે પીર જે હથ, ઉગે આથમદે મતીયેજી કાની જા પરવાના ફરે, પીર મતીયો તો ફ્ળે, સચી કાનીને ધોળી ધજા ગુર મતીયે કે ચડે, દુ:ખ દાળધર પીર મતીયો તો પલે મામૈદેવ જે પ્રતાપે પીર મતીયો તો ફ્ળે“
આમ શ્રી મામૈદેવ ને બાળક મતીયા અરજ કરે છે કે ઔવા મારી ભુલ થઈ ગઈ. મારી ભુલ થઈ ગઈ. મારી શકિત મને પાછી આપો. શ્રી મામૈદેવ બોલ્યા કે દિકરા સમુંદ્ર કદી છલકાતો નથી. છલકે એ તો ખાબોચીયા કહેવાય. તું ચીંતા ના કર, તારી કરણી નો બદલો ચુક્વી આપુ છુ. તું જીવતા નહી પણ મરતા પુજાશે. મતીયા ને બદલે મતીયાપીર કહેવાઈશ. તારી હયાતી માં તારી કલામ કામ નહી કરે. પરતું તારા મુત્યુબાદ પીર તરીકે પુજાઈશ અને આ અમોધ વિધા તારા મુત શરીર માં પ્રવેશ કરશે તેના થકી તારા પર શ્રધા રાખનાર દરેક નૂ ભલુ થશે. કલયુગ ના માનવી ને આધી, વ્યાધી, ઉપાધી.. અવશ્ય દુર થશે. તારુ જગમાં નામ અને કિર્તી વંચાશે. આમ તારા મુત્યુ બાદ તને આ અમોધ વિધા હાંસલ થઈ જશે અને તને પીરાતન મળશે. તારી સ્મશાન યાત્રા ઢોલ શરણાઈઓ વગાડતા નીકળશે. અનેક પરચા પુરીશ. ગુડથર ગામ માં તારો મેળો ભરાશે.
આમ મતીયાદેવ ને હવે પીતાજી ની ભલામણ તથા પોતાની ભુલ સમજાઈ. મતીયાપીર પીતાશ્રી ને પગે પડવા મંડયા. બાળક મતીયો પાપ કરી પસ્તાયો પણ થાય શું? થનાર થઈ ચુક્યુ હતું થોડીક ભુલ નો ભંયકર બદલો મળી ગયો હતો.....
મતિયાપીર નો પરચો :-
મતીયા દેવે અનેક પરચા પૂયૉ છે. જે જે માનવી અનન્ય ભકિત ભાવ પૂવૅક શ્રી મતિયાદેવ ને યાદ કરે છે તેને સંકટ સમયે મદદ કરે છે. આ અંગેની એક સત્ય ધટના ચમત્કાર નો એક પ્રંસગ આ પ્રમાણે છે. માંડવી બંદર થી કરાંચી બંદર તરફ એક વહાણ જઇ રહયુ હતુ. અધવચ્ચે વહાણ પહોચ્યુ. ત્યારે જોરદાર પવન ફુકોવા લાગ્યો…ગાજવીજ સાથે વરસાદ અને વાવાઝૉડા ના તોફાની પવન થી વહાણ હાલક ડોલક થવા લાગ્યુ. દરીયા ના ઉછળતા મોજાના પાણી થી અડધુ વહાણ ભરાઇ ગયુ હતુ. નાખવા ઓ ખૂબ દોડાદોડી કરી રહયા હતા. પણ તેમના સધળા પ્રયત્નો નિષ્ફળ નિકડયા ઉગરવાનો કોઇ ઉપાય ન હતો. વહાણ ડૂબુ-ડૂબુ થઇ રહયુ હતુ. આથી વહાણનો સઢ ઉતારીને ઉભો રાખી ને લંગર નીચે ઉતારવામાં આવ્યા. તેમ છતા વહાણને ઉગારવાની આશા નકામી નિવડી. મોત માંથે ભમી રહયુ હતુ. યમરાજા જડબા ફાડી ઉભા હતા.
નાખવા ઓ ઉતારુઓને કહેવા લાગ્યા ભાઇઓ હવે તો ખુદા ખૈર કરે…. અલ્લાહ ઉગારે તો ઉગરીએ તમે સૌ પોત પોતાના પ્રભુ ખુદા… પીર પૈગમ્બર ને સંભારો, દેવી દેવતા ને યાદ કરો તે સિવાય બચી શકવાના નથી.. દરેક ઉતારુ વહાણ ને બચાવવા પોતાના પીર ઓલિયા ને સંભારવા લાગ્યા. સૌ પ્રાથૅના બંદગી કરે છે. સૌ મુસાફરો ચીસાંચીસં અને બેબાકળા થઇ ને પ્રાથૅના બંદગી કરવા લાગ્યા. સૌ નાની-મોટી માનતા ઓ માનવા લાગ્યા.
“સમરીએ અનેક સડ ડીએ, હસે પીર અપાર મામૈયાણી મતિયો દુખ ભંજન દાતાર ગત વલવે ગુડથરજા ધણી હંયે પીર અપાર મામૈયાણી કરીંદો ગતજીવાર…”
મહેશ્વરી (મેધવાળ) પણ આ વહાણ માં હતા. તેઓ એ શાંતિથી બેસીને પોતાના મતીયા પીર ને સંભાર્યા . “હે મતીયાપીર” હે ગુડથર વારા અમારા વહાણને ડૂબતા બચાવો, આમ મતીયાપીર ને સંભારતા થોડા જ સમય માં વાવાઝોડુ પસાર થઇ ગયુ. અને દરીયો શાંત થઈ ગયો તમામ મુસાફરો નો આબાદ બચાવ થઇ ગયો. વહાણ ને કોણે તાર્યુ? કેમ બચાવ થયો? તેની ખરી ખાત્રી થઇ શકે એટલા માટે નિશાની રૂપે તે વહાણ ના લંગર ને દોરડા સહિત મતીયાપીર ગુડથર માં ખેચી ગયા. વહાણ કંરાચી થી પાછુ માંડવી આવ્યુ ત્યારે વહાણ ના માલમને મતીયાપીર સ્વપન માં ગયા અને કહયુ……. માલમ સૂતો છે. કે જાગે છે? હુ મેધવાળ નો ધમૅગુરૂ મતીયો છુ. મે તારા વહાણ ને તોફાનના ચકકરમાંથી બચાવી ઉગારી પાર કર્યુ હતુ. તુ અત્યારે જે જોઇ રહ્યો છે. સાભંળી રહ્યો છે. તે સ્વપન નથી સત્ય છે. હું મતીયાપીર બોલી રહયો છુ. તારા વહાણ નું લંગર ગુમ થઇ ગયેલ. તે બાબતનો તને કંરાચી નાં અનુંભવ થઇ ચુકયો છે. તે લંગર હું ગુડથર ગામ માં લઇ ગયો છુ. તુ ત્યા આવી ઓળખી ને લઇ જજે. એટલું કહી મતીયાપીર અદરશ્ય થઇ ગયા. માલમ સફાળો જાગી ગયો ચો તરફ નજર ફેરવી જોવા લાગ્યો. કશુ જ દષ્ટિગોચર થયુ નહી. માલમ મનમાં વિચારવા લાગ્યો.. કે સ્વપન તો ન જ કહી શકાય કારણ કે વહાણ નું લંગર ખરેખર ગુમ થયુ છે. અને કંરાચી માંથી નવુ લંગર ખરીદવુ પડયુ છે.
બનેલ ઘટના ની ખરી માહીતી મેળવવા માટે માલમ ગુડથર મા ગયો. મેઘવાળો ને સઘળી હકીકત સભંળાવી મેઘવાળો માલમ ને સાથે તેડી મતીયાપીર ના સ્થાનકે ગયા તો ત્યા માલમ ના વહાણ નું લંગર સાચે જ પડયુ હતુ…..માલમ ના મુખ માથી શબ્દો સરી પડયા..વાહ મતીયાપીર…..વાહ મતીયાપીર….. માલમે તો તે જ વખતે મતીયાપીર ઉપર શ્રી ફળ ચડાવ્યુ. ત્યાર થી એવી પ્રથા ચાલુ થઈ ગઈ કે માંડવી બંદર થી કરાંચી જનારુ કોઈ પણ ઉતારુ વહાણ રવાના થતુ ત્યારે નાખવાઓ ચાર શ્રી ફળ વધેરતા એક દરીયાપીર ને બીજુ હાજીપીર ને ત્રીજુ બુખારીપીર ને અને ચોથુ મતીયાપીર ને, જો કે અત્યારે વહાણ મા તો કોઈ મુસાફરી કરતા જ નથી. સૌ સ્ટીમર દ્રારા જ આવજાવ કરે છે.
મતીયા દેવે અનેક પરચા પૂયૉ છે. જે જે માનવી અનન્ય ભકિત ભાવ પૂવૅક શ્રી મતિયાદેવ ને યાદ કરે છે તેને સંકટ સમયે મદદ કરે છે. આ અંગેની એક સત્ય ધટના ચમત્કાર નો એક પ્રંસગ આ પ્રમાણે છે. માંડવી બંદર થી કરાંચી બંદર તરફ એક વહાણ જઇ રહયુ હતુ. અધવચ્ચે વહાણ પહોચ્યુ. ત્યારે જોરદાર પવન ફુકોવા લાગ્યો…ગાજવીજ સાથે વરસાદ અને વાવાઝૉડા ના તોફાની પવન થી વહાણ હાલક ડોલક થવા લાગ્યુ. દરીયા ના ઉછળતા મોજાના પાણી થી અડધુ વહાણ ભરાઇ ગયુ હતુ. નાખવા ઓ ખૂબ દોડાદોડી કરી રહયા હતા. પણ તેમના સધળા પ્રયત્નો નિષ્ફળ નિકડયા ઉગરવાનો કોઇ ઉપાય ન હતો. વહાણ ડૂબુ-ડૂબુ થઇ રહયુ હતુ. આથી વહાણનો સઢ ઉતારીને ઉભો રાખી ને લંગર નીચે ઉતારવામાં આવ્યા. તેમ છતા વહાણને ઉગારવાની આશા નકામી નિવડી. મોત માંથે ભમી રહયુ હતુ. યમરાજા જડબા ફાડી ઉભા હતા.
નાખવા ઓ ઉતારુઓને કહેવા લાગ્યા ભાઇઓ હવે તો ખુદા ખૈર કરે…. અલ્લાહ ઉગારે તો ઉગરીએ તમે સૌ પોત પોતાના પ્રભુ ખુદા… પીર પૈગમ્બર ને સંભારો, દેવી દેવતા ને યાદ કરો તે સિવાય બચી શકવાના નથી.. દરેક ઉતારુ વહાણ ને બચાવવા પોતાના પીર ઓલિયા ને સંભારવા લાગ્યા. સૌ પ્રાથૅના બંદગી કરે છે. સૌ મુસાફરો ચીસાંચીસં અને બેબાકળા થઇ ને પ્રાથૅના બંદગી કરવા લાગ્યા. સૌ નાની-મોટી માનતા ઓ માનવા લાગ્યા.
“સમરીએ અનેક સડ ડીએ, હસે પીર અપાર મામૈયાણી મતિયો દુખ ભંજન દાતાર ગત વલવે ગુડથરજા ધણી હંયે પીર અપાર મામૈયાણી કરીંદો ગતજીવાર…”
મહેશ્વરી (મેધવાળ) પણ આ વહાણ માં હતા. તેઓ એ શાંતિથી બેસીને પોતાના મતીયા પીર ને સંભાર્યા . “હે મતીયાપીર” હે ગુડથર વારા અમારા વહાણને ડૂબતા બચાવો, આમ મતીયાપીર ને સંભારતા થોડા જ સમય માં વાવાઝોડુ પસાર થઇ ગયુ. અને દરીયો શાંત થઈ ગયો તમામ મુસાફરો નો આબાદ બચાવ થઇ ગયો. વહાણ ને કોણે તાર્યુ? કેમ બચાવ થયો? તેની ખરી ખાત્રી થઇ શકે એટલા માટે નિશાની રૂપે તે વહાણ ના લંગર ને દોરડા સહિત મતીયાપીર ગુડથર માં ખેચી ગયા. વહાણ કંરાચી થી પાછુ માંડવી આવ્યુ ત્યારે વહાણ ના માલમને મતીયાપીર સ્વપન માં ગયા અને કહયુ……. માલમ સૂતો છે. કે જાગે છે? હુ મેધવાળ નો ધમૅગુરૂ મતીયો છુ. મે તારા વહાણ ને તોફાનના ચકકરમાંથી બચાવી ઉગારી પાર કર્યુ હતુ. તુ અત્યારે જે જોઇ રહ્યો છે. સાભંળી રહ્યો છે. તે સ્વપન નથી સત્ય છે. હું મતીયાપીર બોલી રહયો છુ. તારા વહાણ નું લંગર ગુમ થઇ ગયેલ. તે બાબતનો તને કંરાચી નાં અનુંભવ થઇ ચુકયો છે. તે લંગર હું ગુડથર ગામ માં લઇ ગયો છુ. તુ ત્યા આવી ઓળખી ને લઇ જજે. એટલું કહી મતીયાપીર અદરશ્ય થઇ ગયા. માલમ સફાળો જાગી ગયો ચો તરફ નજર ફેરવી જોવા લાગ્યો. કશુ જ દષ્ટિગોચર થયુ નહી. માલમ મનમાં વિચારવા લાગ્યો.. કે સ્વપન તો ન જ કહી શકાય કારણ કે વહાણ નું લંગર ખરેખર ગુમ થયુ છે. અને કંરાચી માંથી નવુ લંગર ખરીદવુ પડયુ છે.
બનેલ ઘટના ની ખરી માહીતી મેળવવા માટે માલમ ગુડથર મા ગયો. મેઘવાળો ને સઘળી હકીકત સભંળાવી મેઘવાળો માલમ ને સાથે તેડી મતીયાપીર ના સ્થાનકે ગયા તો ત્યા માલમ ના વહાણ નું લંગર સાચે જ પડયુ હતુ…..માલમ ના મુખ માથી શબ્દો સરી પડયા..વાહ મતીયાપીર…..વાહ મતીયાપીર….. માલમે તો તે જ વખતે મતીયાપીર ઉપર શ્રી ફળ ચડાવ્યુ. ત્યાર થી એવી પ્રથા ચાલુ થઈ ગઈ કે માંડવી બંદર થી કરાંચી જનારુ કોઈ પણ ઉતારુ વહાણ રવાના થતુ ત્યારે નાખવાઓ ચાર શ્રી ફળ વધેરતા એક દરીયાપીર ને બીજુ હાજીપીર ને ત્રીજુ બુખારીપીર ને અને ચોથુ મતીયાપીર ને, જો કે અત્યારે વહાણ મા તો કોઈ મુસાફરી કરતા જ નથી. સૌ સ્ટીમર દ્રારા જ આવજાવ કરે છે.